PM મોદીએ અબુધાબીના હિંદુ મંદિરનું કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અબુધાબીમાં શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કર્યું. ગલ્ફ કન્ટ્રીમાં આ પહેલું હિન્દુ મંદિર છે. આ પહેલા પીએમ મોદીએ મંદિરની મુલાકાત લીધી હતી અને સંતોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.


મહંત સ્વામી મહારાજે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ પણ મહંત સ્વામી મહારાજને ફૂલોનો હાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ મંદિરનું ઉદ્ઘાટન કર્યું અને પછી આહ્વાન અને પ્રાર્થના કરી. આ પછી પીએમ મોદીએ આરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ પીએમ મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઈઝ ઑફ ડિવિનિટી’ની પ્રતિકૃતિની મુલાકાત લીધી હતી. વડાપ્રધાને વર્ષ 2018માં મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. મંદિરની રચનામાં ગંગા, યમુના અને સરસ્વતીની ધારાઓ વહેતી દર્શાવવામાં આવી છે. આમાં પાણીના ટીપાં નીચે પડતાં તેમજ ઉપર જતાં જોવા મળે છે. આ અવસરે પીએમ મોદીએ ગંગા-યમુનાના પ્રવાહમાં જળાભિષેક કર્યો હતો.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરના સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને વડા પ્રધાનને મંદિર વિશે માહિતી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે અબુ ધાબીમાં શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે, જે ખાડી દેશનું પ્રથમ હિન્દુ મંદિર છે. પીએમ મોદી અબુ ધાબી મંદિર પહોંચ્યા અને મંદિરમાં લોકોને શુભેચ્છા પાઠવી. મંદિરનું ઉદ્ઘાટન એ ખાડી દેશ અને ભારત-UAE દ્વિપક્ષીય સંબંધોમાં હિન્દુ સમુદાય માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. આ મંદિર 27 એકર જમીનમાં બનેલું છે. સોનુ નિગમ, શંકર મહાદેવન અને અક્ષય કુમાર સહિતની ભારતીય હસ્તીઓએ ઉદ્ઘાટન પહેલા અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી.