PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલના કર્યા વખાણ

PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલની સાદગી અને નૈતિકતાના વખાણ કર્યા છે. ત્યારે CMએ PMના ટ્વિટનો જવાબ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા છે. CM ભૂપેન્દ્ર પટેલની સાદગી અને નૈતિકતાના વખાણ કર્યા છે. તેમાં PM નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી માહિતી આપી છે.

ભૂપેન્દ્રભાઇનું આચરણ લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે

ભૂપેન્દ્ર પટેલે નીતિમત્તા-સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. જેમાં ભૂપેન્દ્રભાઇનું આચરણ લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે. તેમના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. CMએ મુંબઇ જવા સરકારી ખર્ચનો ઉપયોગ કર્યો ન હતો. CMના પુત્ર અનુજની મુંબઇમાં સારવાર ચાલી રહી છે. તેમાં એર એમ્બ્યુલન્સનો ચાર્જ પણ CMએ ચૂકવ્યો હતો. PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલની સાદગીની વખાણ કર્યા છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલે PM મોદીના ટ્વિટનો જવાબ આપ્યો છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે જાહેરજીવનમાં સંપૂર્ણ પ્રામાણિકતાયુક્ત છે આપનું જીવન. આપનું જીવન મારા માટે હંમેશા દિવાદાંડી સમાન. આપનો સાથ મારા માટે અમૂલ્ય અને શક્તિનો મોટો સ્ત્રોત. દીકરાના સ્વાસ્થ્ય માટે આપની પ્રાર્થના મારા માટે અમૂલ્ય.


CM ભૂપેન્દ્ર પટેલે PM મોદીના ટ્વિટનો જવાબ આપ્યો

આદરણીય વડાપ્રધાનશ્રી,

માતાપિતા અને ગુરુજનોએ આપેલી વ્યવહારશુદ્ધિની શીખ તેમજ જાહેરજીવનમાં સંપૂર્ણ પ્રામાણિકતાયુક્ત આપનું જીવન મારા માટે હંમેશા દિવાદાંડી બનીને રહ્યા છે. દીકરાના સ્વાસ્થ્ય માટે આપની પ્રાર્થના અને આપનો સાથ મારા માટે અમૂલ્ય છે. મારા માટે શક્તિનો મોટો સ્ત્રોત છે.