ગુજરાત મુલાકાત : PM મોદી અમદાવાદ પહોંચ્યા

PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવાના છે. સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ તેઓ વડસર એરફોર્સ સ્ટેશન પહોંચ્યા છે. જ્યાં તેઓ ઓપરેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ તેઓ વડસર એરફોર્સ સ્ટેશન પહોંચ્યા છે. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે. વડસર એરફોર્સ સ્ટેશન ખાતે તેઓ ઓપરેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. સેન્ટરની મુલાકાત બાદ તેઓ ગાંધીનગર રાજભવન ખાતે જશે.

આજથી ગુજરાતમાં 17 સપ્ટેમ્બર સુધીના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર-અમદાવાદ મેટ્રો, વન્દે ભારત મેન્ટ્રો ઉપરાંત મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી એક્સપોનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત અમદાવાદમાં પણ તેઓ વિવિધ લોકાર્પણ અને ખાતમૂર્હુત કરશે.

વિવિધ બેઠકો યોજાશે

PM મોદી આજે ગુજરાતની ત્રિ-દિવસીય મુલાકાતે પધાર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક, મેજર જનરલ ગૌરવ બગ્ગા સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.