બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડીશુંઃ અમિત શાહ

પટણાઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકવાર ફરીથી કહ્યું છે કે બિહાર ચૂંટણી વર્તમાન મુખ્યમંત્રી નિતીશ કુમારના નેતૃત્વમાં જ લડીશું. તેમણે પહેલા પણ એવાત કહી હતી પરંતુ ઝારખંડના ચૂંટણી પરિણામો આવ્યા બાદ ફરીથી તેમણે આ વાત કહી છે. પરંતુ બિહારમાં ભાજપ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે સૌથી રાહતની સમાચાર છે કે જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે સીટોની સમજૂતી શું સરખે સરખી થશે ત્યારે તેમણે કહ્યું કે એ ચર્ચા બાદમાં કરીશું. પરંતુ નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડીશું અને અમારા મુખ્યમંત્રીનો ચહેરો નીતિશ કુમાર જ રહેશે. નીતિશના સમર્થકો માનીને ચાલી રહ્યા છે કે શાહના નિવેદનથી સ્પષ્ટ છે કે ભાજપ સીટોની સમજૂતીને લઈને અડગ નથી જે તેમના માટે સારા સમાચાર છે.

બિહાર ભાજપના નેતાઓનું કહેવું છે કે આ વિષય અમારા અધિકારથી બહારનો છે કારણ કે શરુઆતથી જ સંખ્યા પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરે છે. જ્યાં સુધી કેન્દ્રીય નેતૃત્વ ફીડબેક માંગશે ત્યારે વધારે સીટો આપવામાં એટલા માટે કોઈ મુશ્કેલી નથી કારણ કે ભાજપનો સ્ટ્રાઈક રેટ સહયોગી દળ હોવાના કારણે હંમેશા વધારે સારો હોય છે. આ નેતાઓનું કહેવું છે કે જેપણ સત્તા વિરોધી લહેર હોય છે તેની નુકસાની નીતિશ કુમારના ઉમેદવારોને ઉઠાવવો પડે છે.