આવા ગુંડાને CM નિવાસસ્થાનમાં કોણ રાખે છે?: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીથી રાજ્યસભાનાં સભ્ય સ્વાતિ માલીવાલની સાથે મારપીટને મામલે સુપ્રીમ કોર્ટે CM કેજરીવાલના સહયોગી બિભવકુમારના વકીલથી તીખા સવાલ પૂછ્યા હતા. CM નિવાસસ્થાન પ્રાઇવેટ બંગલો છે? શું આ પ્રકારના ગુંડાએ CM નિવાસસ્થાનમાં કામ કરવું જોઈએ? એવા સવાલ સુપ્રીમ કોર્ટે કર્યા હતા.

CM કેજરીવાલના નજીકના સહયોગી બિભવકુમાર દ્વારા જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બિભવકુમાર પર આમ આદમી પાર્ટીનાં સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે. કોર્ટે કહ્યું હતું કે મારપીટની આ ઘટના દરમ્યાન રાજ્યસભાનાં સભ્ય સ્વાતિ માલીવાલ દ્વારા પોલીસ હેલ્પલાઇન પર ફોન કરવાથી શું સંકેત મળે છે. બિભવકુમારના આ વર્તનથી શરમ આવે છે કે મહિલાની સાથે જબરદસ્તી કરવામાં આવી.

કોર્ટે કહ્યું હતું કે જે પ્રકારે ઘટના બની છે, એનાથી અમે સ્તબ્ધ છીએ. શું આવા ગુંડાઓને રાખવા માટે એ ઓફિસની જરૂર છે? શું આ કોઈ રીત છે? અમે હેરાન છીએ. સવાલ એ છે કે એ કેવી રીતે થયું. માલીવાલે એને અટકવા માટે કહ્યું, પરંતુ એ વ્યક્તિ નહીં અટકી, શું એનામાં શક્તિ સવાર છે? તમે ભૂતપૂર્વ  સચિવ હતા, જો પીડિતાને ત્યાં રહેવાનો અધિકાર નહોતો તો તમને ત્યાં રહેવાનો અધિકાર પણ નહોતો. તમે એવું બતાવ્યું કે કોઈ ગુંડો પ્રાંગણમાં ઘૂસી ગયો હોય. તમને આવું કરતા શરમ ના આવી? સ્વાતિ એક યુવા મહિલા છે. શું તમને લાગે છે કે એ રૂમમાં હાજર કોઈને પણ બિભવની વિરુદ્ધ કંઈ પણ કહેવાની હિંમત થઈ હશે? એમ કોર્ટે સવાલ કર્યા હતા. સુપ્રીમ કોર્ટ આ કેસની આગામી સુનાવણી સાત ઓગસ્ટે કરશે.