દેશમાં વિજ્ઞાનની એક શાનદાર પરંપરા રહી છેઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ નેશનલ સાયન્સ ડે નિમિત્તે દિલ્હીમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંબોધન કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, આ ધરતી પર વિશેષ મગજ ધરાવતા લોકોએ જન્મ લીધો છે. તેમણે કહ્યું કે આપણા દેશમાં વૈજ્ઞાનિક તપાસની એક લાંબી અને શાનદાર પરંપરા છે. પ્રાચિન કાળથી લઈને મધ્યયુગ અને પછી આધુનિક કાળ સુધી આ ભૂમિ અસાધારણ જ્ઞાનનું ઘર રહી છે જેણે માનવીય જ્ઞાનના મોર્ચાને આગળ વધાર્યો છે.

તેમણે કહ્યું કે, સ્વતંત્રાના વાયદાથી ભારતે વૈજ્ઞાનિક સ્વભાવને વેગ આપવા માટે વિશેષ જોર આપ્યું છે. આપણા સંવિધાને સ્વયં આ વલણને એક મૈલિક કર્તવ્ય તરીકે પરિભાષિત કર્યું છે. આ પ્રકારે, ભારતના પ્રત્યેક નાગરિકનું કર્તવ્ય છે કે વૈજ્ઞાનિક સ્વભાવ, માનવતાવાદ અને તપાસ અને સુધારની ભાવનાને વધારે આગળ લઈ જાય.

રાષ્ટ્રપતિ કોવિંદે સંબોધન દરમિયાન જણાવ્યું કે, આ જ દિવસે 1928 માં સર સી.વી.રમને પ્રકાશ પર એક ઉત્કૃષ્ઠ શોધની જાહેરાત કરી, જેને રમન પ્રભાવ રુપમાં જાણવામાં આવે છે. તેમણે 1930 માં ફિઝીક્સના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેનાથી તેઓ કોઈપણ વિજ્ઞાન માટે સન્માન જીતનારા પ્રથમ એશિયન બની ગયા હતા.