ટ્રમ્પની ધમકી સામે ભારતે આપ્યો આ જવાબ!

નવી દિલ્હી: અમેરિકામાં દસ હજારથી વધુ લોકોના મોતની સાથે કોરોના વાઈરસથી સંક્રમણના મામલાઓની સંખ્યા વધીને 3 લાખને પાર પહોંચી ગઈ છે. આ સ્થિતિમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને પાસે કરેલી દવાની માંગ પર ભાર મૂક્યો છે.

વ્હાઈટ હાઉસમાં સંવાદદાતાઓ સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે ભારતે અમેરિકા સાથે ખૂબ સારો વ્યવહાર કર્યો છે અને હું સમજૂ છું કે ભારત અમેરિકા માટે દવાના ઓર્ડર પરથી પ્રતિબંધ ન હટાવે આ વાતનું કોઈ કારણ નથી. હું જાણું છું કે તેમણે આ દવાને અન્ય દેશોમાં નિકાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. મેં કાલે તેમની સાથે વાત કરી હતી. અમારી વાતચીત ખૂબ સારી રહી. ભારતે અમેરિકા સાથે ખૂબ સારો વ્યવહાર કર્યો છે.

ટ્રમ્પે કહ્યું કે, પીએમ મોદી સાથે હાલમાં ફોન પર થયેલી વાતચીતમાં કહ્યું હતું કે તે આ દવાને અમેરિકાને આપવા પર વિચાર કરશે. ટ્રમ્પે કહ્યું, મને આ વાત પર આશ્ચર્ય નહીં થાય કે આ નિર્ણય તેમણે મને જણાવવો પડશે જે અમે રવિવારે સવારે વાતચીત કરી હતી. મેં તેમને કહ્યું હતું કે અમે તમારા દવા આપવાના નિર્ણયની પ્રશંસા કરીશું. જો તે અમેરિકાને આ દવા આપવા માટે અનુમતિ નહીં આપે તો ઠીક છે પરંતુ નિશ્ચિત રૂપે જવાબી કાર્યવાહી થઈ શકે છે અને આવું શા માટે ન થવું જોઈએ?

ટ્રમ્પે કહ્યું, ભારત અને અમેરિકા વચ્ચે સારા વેપારી સંબંધો છે અને સંકેત આપ્યો છે કે જો ભારતે દવાના નિકાસ પરથી પ્રતિબંધ ન હટાવ્યો તો અમે જવાબી કાર્યવાહી કરી શકીએ છીએ. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે મોદી સાથે વાત કરીને કોરોના સામે લડવા માટે સહયોગની માગણી કરી હતી. મલેરિયા જેવી ખતરનાક બીમારીથી લડવામાં હાઈડ્રોક્સીક્લોરોક્વાઈન ખૂબ જ મદદરૂપ દવા છે.

ટ્રમ્પના નિવેદન પછી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવએ નિવેદન આપતા કહ્યું કે, “અમારી પ્રાથમિકતા દેશમાં આવશ્યક દવાઓનો સ્ટોક રાખવાની છે જેથી આપણા લોકોની જરૂરિયાતો પૂરી થઈ શકે.” આને લીધે, ઘણી દવાઓ પર થોડા સમય માટે નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ સતત નવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે 14 દવાઓમાંથી નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પેરાસીટામોલ અને હાઇડ્રોક્સીક્લોરોક્વિન વિશે સતત પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે, જ્યારે એકવાર ભારતમાં પૂરતો સ્ટોક થશે, ત્યારે તેના આધારે કંપનીઓ દ્વારા નિર્ણય લેવાઈ શકે છે.