વકફ બોર્ડ સંશોધન બિલ લોકસભામાં રજૂઃ અનેક પાર્ટીઓએ કર્યો વિરોધ

નવી દિલ્હીઃ લોકસભામાં અલ્પસંખ્યક મામલાના મંત્રી કિરણ રિજિજુએ વકફ બોર્ડ અધિનિયમમાં સંશોધનથી જોડાયેલું બિલ રજૂ કર્યું હતું. આ બિલ દ્વારા વકફ એક્ટમાં અનેક ફેરફારો થશે. વકફ કાનૂન 1995નું નામ બદલીને એકીકૃત વકફ પ્રબંધન, સખતીકરણ, દક્ષતા અને વિકાસ અધિનિયમ, 1995 હશે. લોકસભામાં કોંગ્રેસે કહ્યું હતું કે આ બંધારણ પર હુમલો છે.

કિરણ રિજિજુએ કહ્યું હતું કે વિપક્ષે જે તર્ક આપ્યો છે એ બરાબર નથી. આ બિલમાં બંધારણની કોઈ પણ જોગવાઈનું ઉલ્લંઘન નથી કરવામાં આવ્યું. આ કોઈ પણ ધર્મમાં દખલ નથી. કોઈનો પણ હક છીનવવા માટે નથી, પણ જેને દબાવીને રાખવામાં આવ્યા હતા, તેમને જગ્યા આપવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. મુઠ્ઠીભર લોકોએ વકફ બોર્ડ પર કબજો કરી રાખ્યો છે.

આ બિલનો કોંગ્રેસ, SP સહિત ઇન્ડિયા ગઠબંધનના પક્ષોએ જોરદાર વિરોધ કર્યો છે. આ બિલને લઈને લોકસભામાં ભારે હંગામો થયો છે. કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે લોકસભામાં વકફ બિલનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ બિલ બંધારણ પર એક મૌલિક હુમલો છે. આ બિલમાં એ જોગવાઈ છે કે બિન મુસ્લિમ પણ વકફ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય હશે. એ ધર્મની સ્વતંત્રતા પર સીધો હુમલો છે. ત્યાર બાદ ખ્રિસ્તીઓ અને જૈનોને નંબર આવશે.

SPએ લોકસભામાં વકફ બોર્ડ સંશોધન બિલનો વિરોધ કર્યો હતો. પક્ષના સાંસદ મોહિબુલ્લાબે કહ્યું હતું કે મારા ધર્મમાં આ દખલઅંદાજી, એનાથી દેશની શાખને નુકસાન પહોંચશે, જ્યારે DMK સાંસદ કનિમોઝીએ કહ્યું હતું કે એ બિલ આર્ટિકલ 30નું સીધું ઉલ્લંઘન છે. આ બિલ એક વિશેષ ધાર્મિક સમૂહને ટાર્ગેટ કરે છે, એમ તેમણે કહ્યું હતું.

જોકે MP વકફ બોર્ડના અધ્યક્ષે સનવર પટેલે આ બિલનું સ્વાગત કરતાં કહ્યું હતું કે નવા પડકારોની સાથે નવા કાયદાની જરૂર હોય છે. જે લોકો સંપત્તિઓ પર ગેરકાયદે કબજો કરી લે છે, એના પર લગામ લાગશે. અમે મોદીજીનો આ બિલ માટે આભાર વ્યક્ત કરીએ છીએ.