નવો કોરોનાઃ ભારતમાં કુલ 38 જણ પોઝિટીવ

નવી દિલ્હીઃ દેશમાં SARS-CoV-2ના નવા બ્રિટિશ પ્રકાર માટે અત્યાર સુધીમાં 38 જણ ચેપગ્રસ્ત હોવાનું માલૂમ પડ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે ગયા શુક્રવાર સુધીમાં નવા કોરોનાના 29 કેસ નોંધાયા હતા. તમામ 38 જણને સંબંધિત રાજ્ય સરકારોએ નિશ્ચિત કરેલા આરોગ્ય કેન્દ્રોમાં અલગ અલગ રૂમમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. એમના ગાઢ સંપર્કમાં આવેલી વ્યક્તિઓને પણ ક્વોરન્ટીન હેઠળ મૂકી દેવામાં આવી છે.