કોંગ્રેસ છોડવાનું કારણ રાહુલ ગાંધી છેઃ ગુલામ નબી આઝાદ

નવી દિલ્હીઃ ડેમોક્રેટિક ઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદની આત્મકથા બુધવારે લોન્ચ થઈ હતી. આ પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં કોંગ્રેસ પર ખાસ કરીને રાહુલ ગાંધી પર તેઓ ખૂબ વરસ્યા હતા. તેમણે પોતાના પાર્ટી છોડવા માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા હતા.

કોંગ્રેસના ભૂતપૂર્વ વરિષ્ઠ નેતા અને જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી રહેલા ગુલામ નબી આઝાદે તેમના પુસ્તક આઝાદમાં વધુ એક વખત રાહુલ ગાંધી અને કોંગ્રેસની કાર્યપ્રણાલી પર નિશાન સાધ્યું છે. બીજી બાજુ, તેમણે મોદીની અનેક મુદ્દે પ્રશંસા કરી છે. તેમણે કોંગ્રેસ પર The Grand Old Party : Bloopers and Bombast નામથી લખેલા અધ્યાયમાં કોંગ્રેસના પતનને નિરાશાજનક જણાવ્યું છે અને ચિંતા જાહેર કરી છે કે એને અટકાવવા માટે કોઈ ગંભીર પ્રયાસ નથી કરવામાં આવતા.

તેમણે લખ્યું છે કે રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસના સલાહકારી મેકેનિઝમને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરવાને લઈને પાર્ટીને ચલાવનારા અનુભવહીન ચાપલૂસોની નવી ટીમવાળી પાર્ટીએ ભારત માટે જે યોગ્ય છે- એને લઈને લડવાની ઇચ્છા અને ક્ષમતા –બંને ગુમાવી દીધા છે.

આજે કોંગ્રેસમાં વરિષ્ઠ નેતાઓ, કોંગ્રેસ કાર્યસમિતિના સભ્યો, સાંસદો અને પ્રદેશાધ્યક્ષોને પાર્ટી નેતૃત્વથી મળવા માટે મહિનાઓ સુધી રાહ જોવી પડે છે. હવે તો વગર એપોઇન્ટમેન્ટે મળવાની કલ્પના પણ નથી કરી શકતા.G20ની ટીકા કરનારા કેટલાક નેતાઓ પર આઝાદે લખ્યું હતું કે તથાકથિત નેતાઓના નિયમિત ટ્વીટ કરીને પાર્ટી સંગઠન ઊભું ના થઈ શકે. G23ની સામે બોલતા કોંગ્રેસ નેતાઓ પર નિશાન સાધતાં આઝાદે પુસ્તકમાં લખ્યું હતું કે અમે લોકોએ સીડીને લાત નથી મારી, જેથી અમે ઉપર પહોંચ્યા હતા. બલકે અમારા જેવા લોકો કુડ સીડી હતા, જેના સહારે કેટલાક નેતાઓ ટોચે પહોંચ્યા અને એ લોકો શિખર પર પહોંચીને સીડીને ભૂલી ગયા હતા.