કોરોનાના સક્રિય કેસોની સંખ્યા બે લાખની નીચે

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી રહી હોય એવું લાગે છે. દેશમાં કોરાના વાઇરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.05 કરોડને પાર પહોંચી છે. 27 જૂન પછી પહેલી વાર કોરોનાના સક્રિય કેસોની સંખ્યા બે લાખથી નીચે ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 13,823 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 162 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,05,95,660 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,52,718 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,02,45,741  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 16,988 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,97,201એ પહોંચી છે.  રિકવરી રેટ વધીને 96.69 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.