છેલ્લા 24-કલાકમાં કોરોનાથી સૌથી વધુ 6148નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરોના સંક્રમણના એક લાખથી ઓછા નવા કેસો નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 94,052 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 6148 લોકોનાં મોત થયાં છે. બિહારે મોતના આંકડામાં સંશોધન કર્યું હતું, જે પછી મૃતકોની સંખ્યા 6000ને પાર પહોંચી છે. કોરોનાથી એક દિવસમાં થયેલા મોતોનો આ સૌથી ઊંચો આંકડો છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,91,83,121 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,59,676 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,76,55,493 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1,51,367 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 11,67,952એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.77 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.23 ટકા થયો છે.

ICMRના જણાવ્યાનુસાર ગઈ કાલે દેશમાં 20,04,690 કરોડથી વધુ લોકોની તપાસ કરવામાં આવી ચૂકી છે.

દેશમાં 24.27 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 24,27,26,693 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 33,79,261 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.