ગેહલોત સરકાર ખેડૂતોને ત્રણ ટકાના રાહત દરે લોન આપશે

જયપુરઃ કોરોના રોગચાળાની વચ્ચે ખેડૂતોને રાહત આપવા માટે રાજસ્થાન સરકાર પહેલી જૂનથી ખેડૂતોને ત્રણ ટકા વ્યાજદરે લોન આપશે. રાજ્યના બધા જિલ્લામાં એકસાથે પાક લોનનું વિતરણ શરૂ થશે. આ યોજના હેઠળ ખેડૂતોએ તેમના પાકને ગિરવી મૂકવા પર માત્ર ત્રણ ટકા વ્યાજદરે લોન મળી શકશે. આ લોનનો સાત ટકા વ્યાજદર સરકાર ભાર ઉપાડશે. આ માટે કૃષક કલ્યાણ કોષમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રૂ. 50 કરોડનું અનુદાન આપવામાં આપવામાં આવશે. રાજ્યના સહકારપ્રધાન ઉદયલાલ આંજણાએ જણાવ્યું હતું કે લોનનું વિતરણ ચાર હજાર ગ્રામ સહકારી સમિતિઓના માધ્યમથી કરવામાં આવશે. લઘુ અને સીમાંત ખેડૂતોને રૂ. 1.50 લાખ અને મોટા ખેડૂતોને રૂ. ત્રણ  લાખની પાકની સામે લોન મળશે અને બજારમાં સારા ભાવ મળશે ત્યારે ખેડૂત તેની ઊપજ વેચી શકશે.

ખેડૂતો નાણાકીય જરૂરિયાતો પૂરી થશે

આ લોન મળવાથી ખેડૂતોની તાત્કાલિક નાણાકીય જરૂરિયાતો પૂરી થશે. આ યોજનાથી સહકાર વિભાગના મોટા નેટવર્કનો ઉપયોગ થઈ શકશે અને બીજી બાજુ અનુદાન આપવાની ખેડૂતોનો સીધો સહકારી સમિતિઓથી સંબંધ મજબૂત થશે. રાજ્ય સરકારની ઇચ્છા દર વર્ષે રૂ. 2000 કરોડ પાક સામે લોન ખેડૂતોને મદદ કરવાની છે.

આ દેશની એક યુનિક યોજના   

સહકારપ્રધાનનો દાવો છે કે આ દેશની એક યુનિક યોજના છે. સીમાંત ખેડૂતનો અર્થ એક હેક્ટરથી ઓછી જમીન ધરાવતો ખેડૂત, જ્યારે લઘુ ખેડૂતનો અર્થ એ ખેડૂત કે જેની પાસે બે હેક્ટરથી પણ ઓછી જમીન છે. આ બંને શ્રેણીના ખેડૂતોને લાભ મળી શકશે. રાજ્યના બધા જિલ્લાઓમાં એકસાથે પાક વીમા લોનનું વિતરણ શરૂ થશે. આ યોજન હેઠળ ખેડૂતોએ પોતાની ઊપજને ગિરવી રાખીને માત્ર ત્રણ ટકા વ્યાજદરે લોન મળી શકશે. આ લોનના સાત ટકા વ્યાજદર સરકાર ભાર ઉપાડશે. આ માટે કૃષક કલ્યાણ કોશમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રૂ. 50 કરોડનું અનુદાન કરવામાં આવશે.