ઇઝરાયેલને હથિયારો નહીં નિકાસ કરવા કોર્ટમાં ‘સુપ્રીમ’ અરજી

નવી દિલ્હીઃ દેશમાંથી ઇઝરાયેલને હથિયારોનો સપ્લાય અટકાવવા માટે 11 સામાજિક કાર્યકર્તાઓએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા આ કાર્યકર્તાઓએ અરજી દાખલ કરી છે. ઇઝરાયેલ પેલેસ્ટાઇનમાં નરસંહાર કરી રહ્યો છે, પરંતુ ભારત સરકાર ખાનગી કંપનીઓને ઇઝરાયેલને હથિયાર કરવાથી નથી અટકાવી રહી, કોર્ટ સરકારને ઇઝરાયેલને સૈન્ય સામાનને મોકલતા અટકાવે એમ અરજીકર્તાઓએ આરોપ લગાવ્યો હતો.

કોર્ટમાં દાખલ અરજીમાં કેન્દ્ર સરકારને એ નિર્દેશ આપવામાં વિનંતી કરવામાં આવી છે કે કોર્ટ ઇઝરાયેલને હથિયાર અને અન્ય સૈન્ય ઉપકરણોની નિકાસ કરતી ભારતીય કંપનીઓનાં લાઇસન્સ રદ કરે અને નવાં લાઇસન્સ ના આપે.

આ અરજીકર્તાઓમાં હર્ષ માંદર, જ્યાં ટ્રેઝ, નિખિલ ડે અને અશોક શર્મા સહિત 11 લોકો છે. સામાન્ય રીતે કોર્ટ વિદેશ નીતિથી જોડાયેલા કેસોમાં દખલ નથી દેતી. આવામાં એ જોવું રસપ્રદ રહેશે કે કોર્ટ કયા આધારે અરજીકર્તાની અરજીની કેન્દ્ર સરકારના નરસંહારવિરોધી આંતરરાષ્ટ્રીય સમજૂતીથી બંધાયેલા હોવાનો હવાલો આપે છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં સંરક્ષણ મંત્રાલયને પક્ષકાર બનાવવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત વિવિધ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓથી બંધાયેલો છે, જે ભારતને યુદ્ધ અપરાધોને દોષી દેશોને સૈન્ય હથિયાર નહીં આપવા માટે અટકાવે છે. આવું એટલા માટે, કેમ કે કોઈ પણ નિકાસનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાનૂનના ઉલ્લંઘન માટે કરી શકાય છે.

આ અરજીમાં અરજીકર્તાઓએ કહ્યું હતું કે સંરક્ષણ મંત્રાલય હેઠળ કંપનીઓ તરફથી ઇઝરાયેલને સૈન્ય ઉપકરણો અને હથિયારોનો સપ્લાય કરવો એ બંધારણના આર્ટિકલ 14 અને 21ની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ભારતની જવાબદારીનું ઉલ્લંઘન કરે છે.