નવી દિલ્હીઃ રાષ્ટ્રીય પાટનગર દિલ્હી-NCR સહિતના વિસ્તારોમાં લોકોએ આજે બપોરે લગભગ 4 કલાક 8 મિનિટે ધરતીકંપના તીવ્ર આંચકાનો અનુભવ કર્યો હતો. ઘણે સ્થળે લોકો ગભરાટના માર્યા રસ્તાઓ પર દોડી ગયા હતા. રીક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.1ની નોંધાઈ હતી.
ધરતીકંપનું કેન્દ્રબિંદુ હરિયાણાના ફરિદાબાદથી 13 કિલોમીટર દૂરના અંતરે હોવાનું માલૂમ પડ્યું હતું. બે અઠવાડિયામાં આ ત્રીજી વખત દિલ્હીની ધરતી ધ્રૂજી છે.
