શાહીનબાગમાં દેખાવકારો સાથે મધ્યસ્થીઓની વાતચીત

નવી દિલ્હીઃ શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ)ની વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનને ખતમ કરવા માટે સુપ્રીમ કોર્ટે નીમેલી મધ્યસ્થોની ટીમ પ્રદર્શનકારો સાથે વાતચીત કરવા માટે આજે પહોંચશે. ભૂતપૂર્વ મુખ્ય ઇન્ફોર્મેશન કમિશનર હબીબુલ્લા, વકીલ સંજય હેગડે અને સાધના રામચંદ્રનને વાટાઘાટકાર નીમ્યા છે. મંગળવારે સુપ્રીમ કોર્ટના નિર્દેશો પછી દેખાવકારો આગામી વ્યૂહરચના બનાવવા માંડ્યા છે.

પ્રદર્શનના આયોજકોની અનેક બેઠકો થઈ હતી. જેમાં વાતચીત માટે પ્રતિનિધિઓની ચૂંટણી અને ટ્રાફિક જેમને અટકાવવા માટે રોડના કેટલોક હિસ્સો ખોલવાના વિકલ્પ પર ચર્ચા થઈ હતી. પ્રદર્શનકારીઓ પ્રારંભમાં આ વાત સહમતી દર્શાવતાં એક કહ્યું હતું કે એક મહિલા વકીલ તેમનું પ્રતિનિધિત્વ કરશે.આયોજકોમાંથી એક આસિફ અહમદે કહ્યું હતું કે પ્રદર્શન સ્થળે એક કાયદાકીય ટીમ મોજુદ છે અને વકીલ પણ ત્યાં જાય છે. જોકે વિશે જવાબદારી વરિષ્ઠ મહિલાઓ પર છે, જેમાંની સાત તો 15 ડિસેમ્બરથી ત્યાં છે. અમારું માનવું છે કે અમારું પ્રતિનિધિ હોવાનો દાવો કરીને કેટલાક લોકો આંદોલનને હાઇજેક ના કરી શકે.

સ્થાનફેર કર્યું તો સરકાર ધ્યાન આપશે?

મંગળવારે સાંજે કેટલીક મહિલાઓએ સુપ્રીમ કોર્ટની વકીલ મહમૂદ પ્રાચાએ પ્રદર્શન સ્થળેથી જતા રહેવા કહ્યું –તો શું કેટલાક તેમની હાજરીને સમર્થન આપ્યું. એક વરિષ્ઠ પ્રદર્શનકારી સલમાએ કહ્યું હતું કે મધ્યસ્થીઓ કેટલાક લોકોને બદલે દેખાવકારોને મળે. મોટા ભાગના લોકો ઇચ્છે છે કે સ્થાનફેર કરવામાં આવે, પણ 66 દિવસમાં સરકારે અમારી તરફ ધ્યાન નથી આપ્યું, તો શું આપને લાગે છે કે ખૂણામાં ગેખાવ કરીએ તો તેઓ અમારી વાત સાંભળશે?