સીએએ બનાવીને ગાંધીજીની ઈચ્છા પૂરી કરી: રામનાથ કોવિંદ

નવી દિલ્હી: સંસદના બજેટ સત્રના પ્રથમ દિવસે બંને સદનોને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, સરકારે સીએએ બનાવીને ગાંધીજીની ઈચ્છા પૂરી કરી છે. જોકે, નાગરિકતા કાયદાનો ઉલ્લેખ થતાંની સાથે જ સંસદમાં વિપક્ષીદળોએ જોરદાર વિરોધ શરુ કર્યો. રાષ્ટ્રપતિએ વિપક્ષના વિરોધ વચ્ચે તેમનું ભાષણ ચાલુ રાખતા કહ્યું કે, અમારી સરકાર એ ફરી વખત સ્પષ્ટ કરે છે કે, ભારતમાં આસ્થા રાખનારા અને દેશની નાગરિકતા મેળવવા ઈચ્છુક વિશ્વના તમામ ધર્મના લોકો માટે પહેલા જે પ્રક્રિયા આજે પણ એ જ છે. વિભાજન પછી સર્જાયેલા માહોલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં રહેલા હિન્દુઓ અને શીખો જે ત્યાં નથી રહેવા ઈચ્છતા તે ભારત આવી શકે છે તેમને સામાન્ય જીવન ઉપલબ્ધ કરાવવું સરકારનું કર્તવ્ય છે.

પૂજ્ય બાપુના આ વિચારનું સમર્થન કરતા સમયાંતરે તેમના રાષ્ટ્રીય નેતાઓ અને રાજકીય દળોએ પણ પણ આને આગળ ધપાવ્યું છે. આપણા રાષ્ટ્રનિર્માતાઓને એ ઈચ્છાનું સમ્માન દાયિત્વ છે. મને આનંદ છે કે, સંસદના બંને સદનો દ્વારા નાગરિકતા સંશોધન કાયદો બનાવીને તેમની ઈચ્છાને પૂર્ણ કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાકિસ્તાનમાં રહેતા અલ્પસંખ્યકોની સાથે અત્યાચારનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચારની નિંદા કરતા, વિશ્વ સમુદાયને આ મુદ્દે નોંધ લેવા અને આ દિશામાં જરૂરી પગલા લેવા પણ આગ્રહ કરીએ છીએ. તેમણે હાલમાં જ થયેલા નનકાના સાહિબની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એ દાયિત્વ છે કે, પાકિસ્તાનમાં થઈ રહેલા અત્યાચારથી સમગ્ર વિશ્વ પરિચિત થાય.

રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, પાંચ દાયકાથી ચાલી રહેલી બોડો સમસ્યાને સમાપ્ત કરવા માટે કેન્દ્ર અને અસમ સરકારે હાલમાં જ બોડો સંગઠનો સાથે ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરારથી એક એવી જટીલ સમસ્યા જેમાં 4 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા, એનું સમાધાન આવ્યું છે.