દિલ્હીમાં પાણી પર રાજકીય જંગઃ AAP વિ LG

નવી દિલ્હીઃ દિલ્હીમાં હાલમાં પાણીનાં બિલોની વન ટાઇમ સેટલમેન્ટ (OTS) સ્કીમને લઈને રાજકીય જંગ છેડાયો છે. આપ સરકારનું કહેવું છે કે OTSને LG તરફથી મંજૂરી નથી મળી રહી. ભાજપનું કહેવું છે કે વધેલાં બિલ જળ બોર્ડનાં નવા મીટરોને કારણે આવી રહ્યાં છે.

દિલ્હીમાં કુલ પાણીના ઘરેલુ વપરાશકર્તા 27.69 લાખ છે, જેમાં 21.82 લાખ પાણીના મીટરવાળા ઉપભોક્તા છે, જ્યારે 5.87 લાખ ઘરેલુ ઉપભોક્તા પાસે મીટર નથી, જ્યારે ગેરકાયદે કોલોનીઓમાં 6.59 લાખ મીટર ગેરકાયદે છે. શહેરમાં 58.28 ટકા પાણીની ચોરી થાય છે અથવા પાણી વેડફાઈ જાય છે.

દિલ્હીમાં બાકી બિલોનાં સેટલમેન્ટ માટે વન ટાઇમ સેટલમેન્ટની યોજના લાઇમલાઇટમાં છે. સરકાર અને અધિકારીઓ ઉપ રાજ્યપાલ પર આ યોજના અટકાવવાનો આરોપ લગાવી રહી છે. બીજી બાજુ મફત પાણી યોજનાથી દિલ્હી જળ બોર્ડની આર્થિક સ્થિતિ સારી નથી. જો જળ બોર્ડ અને સરકાર સેટલમેન્ટની યોજના લાવવા ઇચ્છે તો જળ બોર્ડે પાણીનાં મીટર બદલવા જોઈએ અને એમાં કોઈ અડચણ નથી, પણ હવે આ મુદ્દાએ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે.

તેમણે કહ્યું હતું કે મત બેન્કના રાજકારણમાં યોજના લટકી રહી છે. જોકે બાકી બિલોની ચુકવણી માટે વન ટાઇમ સેટલમેન્ટ સમસ્યાનું નિદાન નથી, કેમ કે એનાથી જળ બોર્ડનું આર્થિક નુકસાન વધશે. એનાથી ભવિષ્યમાં સમસ્યો પણ વધે એવી સંભાવના છે.

સિટીજન્સ ફ્રંટ ફોર વોટર ડેમોક્રસીના સંયોજક એસએ નકવીએ જણાવ્યું હતું કે વર્ષ 2013માં ઉપભોક્તાઓને મોકલવામાં આવેલાં ખોટાં બિલ, ખોટાં રીડિંગ રાજકીય મુદ્દો બન્યો હતો અને આપ પાર્ટી એ મુદ્દો ઉઠાવીને સત્તા સુધી પહોંચી હતી. આ સમસ્યાઓનું સમાધાન કરવું એની ફરજ છે, પણ સ્થિતિ સુધરી નથી.