રાત્રે 8 વાગ્યે તૈયાર રહેજોઃ વડા પ્રધાન કાંઇક કહેવાના છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મુદ્દે પીએમ મોદી એક અઠવાડિયામાં બીજીવાર આજે રાતે આઠ વાગે દેશવાસીઓને સંબોધન કરશે. આ મામલે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે વૈશ્વિક મહામારી કોરોના વાયરસના વધતા પ્રકોપ અંગે કેટલીક મહત્વપૂર્ણ વાતો દેશવાસીઓ સાથે શેર કરીશ.

આ અગાઉ પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરીને કહ્યું હતું કે લોકો લોકડાઉનને ગંભીરતાથી લે અને પોત પોતાના પરિજનોની સુરક્ષા કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારોને ભલામણ કરીને એમ પણ કહ્યું હતું કે તેઓ પોતાના ત્યાં કડકાઈથી તેના નિયમો અને કાયદાનું પાલન કરાવે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23મી માર્ચે લોકડાઉનની સ્થિતિ પર પોતાની ટ્વીટમાં લખ્યું કે લોકડાઉનને હજુ પણ લોકો ગંભીરતાથી લેતા નથી. કૃપા કરીને તમારી જાતને બચાવો. તમારા પરિવારને બચાવો, નિર્દેશોનો ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારોને મારી અપીલ છે કે તેઓ નિયમો અને કાયદાનું પાલન કરાવે.