સાત મહિના પછી ઓમર અબદુલ્લા નજરકેદમાંથી મુક્ત

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370 દૂર કર્યા પછી કેન્દ્ર સરકારે નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબદુલ્લાને મુક્ત કર્યા હતા. આર્ટિકલ 370ને દૂર કર્યા પછી પાંચ ઓગસ્ટે ઓમર અબદુલ્લા, મહેબૂબા મુફ્તી, ફારુક અબદુલ્લા સહિત અનેક નેતાઓને નજરકેદ કર્યા હતા. સરકારે પાછલા કેટલાક દિવસોમાં એક બોન્ડ પર હસ્તાક્ષર કરાવીને કેટલાક નેતાઓને છોડી મૂક્યા હતા. આ બોન્ડને 370 સામે પ્રદર્શન ના કરવાની ગેરન્ટી હતી. તેમના પિતા ફારુક અબદુલ્લાને પણ નજરકેદમાંથી મુક્ત કર્યા હતા.

સાત મહિના પછી ઓમર અબદુલ્લા મુક્ત

શ્રીનગરમાં છોડી મૂકવામાં આવેલા જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ કહ્યું હતું કે મને ખ્યાલ છે કે હાલ આપણે જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા છે. તેમણે અન્ય નજરકેદ કરવામા આવેલા નેતાઓને પણ જલદી છોડી મૂકવામાં આવે માગ કરી હતી. આપણે કોરોના વાઇરસથી લડવા માટે સરકારના આદેશોનું પાલન કરવું જોઈએ.

પાંચ ઓગસ્ટે ઓમર અબદુલ્લાને નજરકેદ કરાયા હતા

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાને નજરકેદમાંથી મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મંગળવારે જ તેમને છોડી મૂકવાના આદેશ કરવામાં આવ્યા હતા. આ મામલે ઓમરની બહેન સારાએ સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી. જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370ને દૂર કર્યા પછી અને રાજ્યને બે હિસ્સામાં વહેંચ્યા પછી પાંચ ઓગસ્ટે ઉમર અબદુલ્લાને નજરકેદ કરવામાં આવ્યા હતા. તેમની પર પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) પણ લગાડવામાં આવ્યો હતો. તેમની પર આરોપ હતો કે તેમણે ફેસબુક પોસ્ટ દ્વારા લોકોને ભડકાવવાનું કામ કર્યું હતું.

સરકારના બોન્ડ પર હસ્તાક્ષર કરવા ના પાડી

સરકારના બોન્ડ પર હસ્તાક્ષર કરવાની ફારુક, ઓમર અને મહેબૂબા સહિત છ નેતાઓએ ના પાડી હતી. ત્યાર બાદ આ નેતાઓ પર PSA લગાવવામાં  આવ્યો હતો. એની સાથે ઓમર અને મહેબૂબાને તેમના ઘરે શિફ્ટ કર્યા પછી નજરકેદ કરવામાં આવ્યા હતા.

અન્ય નેતાઓને છોડી મૂકવાની માગ

કેટલાક દિવસો પહેલાં જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને લોકસભાના સંસદસભ્ય ફારુક અબદુલ્લાને નજરકકેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું જનતા અને એ નેતાઓનો આભાર માનું છું, જેમણે અમારી સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવ્યો. હું આઝાદ થયો, પણ મારી આઝાદી ત્યારે પૂરી ગણાશે ત્યારે ઓમર અબદુલ્લા અને મહેબૂબા મુફ્તી સહિત અન્ય નેતાઓ આઝાદ થશે.

મહેબૂબાને મુક્ત કરવાની માગ

સરકારના આદેશ પર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)એ કહ્યું હતું કે અમે ઓમર અબદુલ્લાને નજરકેદમાંથી મુક્ત કરવાનું સ્વાગત કરીએ છીએ અને સરકારથી મહેબૂબા મુફ્તી અને અન્ય રાજકીય કેદીઓને મુક્ત કરવાની અરજ કરીએ છીએ.