કોરોના સામેનાં જંગમાં આ રીતે જોડાયા મુકેશ અંબાણી

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ કોવિડ-19 સામે આપણી સહિયારી લડાઈમાં દેશને 24×7 સેવા આપવા એની ફરજ બરોબર અદા કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે. કંપનીએ બહમુખી નિવારણ, શમન અને સાથસહકારની વ્યૂહરચના શરૂ કરી છે, જે વિસ્તૃત, સાતત્યપૂર્ણ અને મજબૂત છે. દેશમાં જરૂર જણાશે તો આ અભિગમને વધારી શકાશે. કંપનીએ રિલાયન્સ ફાઉન્ડેશન, રિલાયન્સ રિટેલ, જિયો, રિલાયન્સ લાઇફ સાયન્સિસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સહિયારી ક્ષમતા કામે લગાવી છે તથા રિલાયન્સ પરિવારના તમામ 6,00,000 સભ્યો કોવિડ-19 સામેની આ કાર્યયોજનામાં કામ કરી રહ્યા છે.

રિલાયન્સ ફાઉન્ડેશન અને આરઆઇએલની હોસ્પિટલો

ભારતની પ્રથમ ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ: સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશનઃ ફક્ત બે અઠવાડિયાના ટૂંકા ગાળામાં સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) સાથે જોડાણમાં મુંબઈમાં સેવન હિલ્સ હોસ્પિટલમાં 100 બેડનું સેન્ટર સ્થાપિત કર્યું છે, જેમાં કોવિડ-19 માટે પોઝિટિવ દર્દીઓ જ સેવા આપવામાં આવે છે. આ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંપૂર્ણપણે ફંડેડ ભારતનું પ્રથમ સેન્ટર છે અને એમાં નેગેટિવ પ્રેશર રૂમ સામેલ છે, જે એકબીજાને ચેપ લાગતા અટકાવવાનું અને ઇન્ફેક્શનને નિયંત્રણમાં લેવામાં મદદરૂપ થવાનું કામ કરે છે. તમામ બેડ વેન્ટિલેટર્સ, પેસમેકર્સ, ડાયાલીસિસ મશીનો અને પેશન્ટ મોનિટરિંગ ઉપકરણો સહિતની સુવિધાઓ અને  બાયોમેડિકલ સાધનોથી સજ્જ છે. સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ, મુંબઈમાં આંતરરાષ્ટ્રીય સ્તરની હેલ્થકેર સંસ્થા છે, જે નોટિફાઇડ કરેલા દેશોમાંથી આવતા ક્વોરેન્ટાઇન પ્રવાસીઓ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ દ્વારા ઓળખ કરાયેલા શંકાસ્પદ કેસોના દર્દીઓને વિશેષ તબીબી સુવિધા પ્રદાન કરે છે. એનાથી આઇસોલેશન માટે વધારાની વધુ સુવિધાઓ ઝડપથી ઊભી થશે અને ઇન્ફેક્ટેડ દર્દીઓની સારવાર પણ ઝડપથી થશે.

વિવિધ શહેરોમાં નિઃશુલ્ક ભોજન

રિલાયન્સ ફાઉન્ડેશન વર્તમાન કટોકટીની સ્થિતિમાં રાહત પ્રદાન કરવા બિનસરકારી સંસ્થાઓ (એનજીઓ) સાથે ભાગીદારીમાં વિવિધ શહેરોમાં લોકોને નિઃશુલ્ક ભોજન પ્રદાન કરશે.

 

 

લોઢિવલીમાં આઇસોલેશન સુવિધા: આરઆઇએલએ મહારાષ્ટ્રનાં લોઢિવલીમાં સંપૂર્ણપણે સજ્જ આઇસોલેશન સુવિધા ઊભી કરી છે અને જિલ્લા સત્તામંડળને સુપરત કરી છે.

હેલ્થ-વર્કર્સ માટે માસ્ક અને પર્સનલ પ્રોટેક્ટિવ સ્યુટ

આરઆઇએલએ એની દૈનિક ઉત્પાદન ક્ષમતા વધારીને 100,000 ફેસ-માસ્ક કરી છે અને મોટી સંખ્યામાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ)નું ઉત્પાદન કરે છે, જેમ કે સ્યુટ અને ગાર્મેન્ટ, જેથી દેશના હેલ્થ-વર્કર્સ કોરોના વાઇરસના પડકાર સામે લડવા વધુ સજ્જ થઈ શકે.

ઇમરજન્સી સર્વિસીસનાં વાહનો માટે નિઃશુલ્ક ઇંધણ

રિલાયન્સ ઇમર્જન્સી સર્વિસિસમાં સંકળાયેલા તમામ વાહનો માટે નિઃશુલ્ક ઇંધણ પ્રદાન કરશે. કોવિડ-19ના દર્દીઓ (કોવિડ-19ના દર્દીઓ માટે ઉપયોગ થતા વાહનો માટે અને સરકારી સંસ્થાઓએ પ્રદાન કરેલી યાદી મુજબ જ આ સેવા પ્રદાન કરવામાં આવી છે, જેથી અસરકારક રીતે વાહનો કામ કરે અને રોગચાળાનો અંત આવતાં એને પાછી ખેંચવામાં આવશે)ને ક્વોરેન્ટાઇન અને આઇસોલેશન સુવિધાઓ સુધી અવરજવર માટે.

 

સરકારી સંસ્થાઓએ આપેલી યાદીને આધારે ક્વારેન્ટાઇન કરાયેલા લોકો માટે.

રિલાયન્સ લાઇફ સાયન્સિસે વધારાની ટેસ્ટ કિટની આયાત કરી છે અને અસરકારક પરીક્ષણ માટે ઉપયોગ કરે છે. આપણા ડૉક્ટરો અને સંશોધકો આ જીવલેણ વાયરસ સામે સારવાર શોધવા ઓવરટાઇમ કામ કરી રહ્યા છે.

આવશ્યક ચીજવસ્તુઓનો પર્યાપ્ત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે રિલાયન્સ રિટેલ

આખા દેશમાં રિલાયન્સ રિટેલના તમામ 736 ગ્રોસરી સ્ટોર આવશ્યક ચીજવસ્તુઓનો પર્યાપ્ત પુરવઠો સુનિશ્ચિત કરશે, જેમાં અનાજ-કઠોળ, ફળફળાદિ અને શાકભાજી, બ્રેડ, બ્રેકફાસ્ટ સેરલ્સ અને રોજિંદા વપરાશની અન્ય ચીજવસ્તુઓ સામેલ છે, જેથી નાગરિકોને એનો સંગ્રહ કરવાની જરૂર નથી. ગ્રોસરી સ્ટોર સવારે 7થી રાતનાં 11 સુધી ખુલ્લાં રહેશે – જ્યાં શક્ય હશે ત્યાં. તમામ સ્ટોર્સમાં શાકભાજી, અનાજ-કઠોળ અને રોજિંદા જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓનો  સ્ટોક કરવામાં આવ્યો છે અને કોઈ ખેંચ ઊભી ન થાય એવી સુનિશ્ચિતતા કરવામાં આવશે.સ્ટોરમાં આગળથી ઓર્ડર લેવામાં આવશે અને ગ્રાહકને આપવામાં આવશે, જેથી ગ્રાહકો અને સ્ટોરના સ્ટાફ વચ્ચે સંસર્ગ ન થાય. એનાથી સ્ટોરમાં ઓછામાં ઓછો લોકોની હાજરી પણ સુનિશ્ચિત થશે. વરિષ્ઠ નાગરિકો માટે ઘરેથી ઓર્ડર લેવામાં આવશે અને ડિલિવરી કરવામાં આવશે.

તમારા ઘરઆંગણે રિલાયન્સ રિટેલ

સંપૂર્ણ બંધ દરમિયાન ગ્રાહકોને ઘરઆંગણે વેચાણ કરવા ચોક્કસ વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓ સાથે વાહન ફરશે.રિલાયન્સ રિટેલ આઉટલેટમાં સરકારે જાહેર કરેલા દરે સાફસફાઈ જાળવવા માટેનાં ઉત્પાદનો અને સેનિટાઇઝર્સ પૂરાં પાડવામાં આવશે.

પેટ્રો રિટેલ આઉટલેટ ગ્રાહકો માટે ખુલ્લાં રહેશે

તમામ પેટ્રો રિટેલ આઉટલેટ ગ્રાહકો માટે ખુલ્લાં રહેશે, જેથી ઇંધણની ખેંચ ઊભી નહીં થાય.તમામ સ્ટોરના સ્ટાફ પર્યાપ્ત તાલીમબદ્ધ છે અને માસ્ક સાથે સંરક્ષિત છે તેમજ સ્વચ્છતાનાં કડક ધારાધોરણોનું પાલન કરી રહ્યા છે

 

 

પાંચ કરોડનું ફંડ

આરઆઇએલે આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં રૂ. પાંચ કરોડનું પ્રારંભિક પ્રદાન કરવાની જાહેરાત કરી હતી.

જિયોની  #CORONAHAAREGAINDIAJEETEGA પહેલ

ભારતનાં લોકો માટે અત્યારે મિત્રો, પરિવારજનો, સાથીદારો, વ્યાવસાયિક ભાગીદારો અને સમુદાયો સાથે જોડાયેલા રહેવું અને સાથે-સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મહત્ત્વપૂર્ણ છે.ભારતીયો એકબીજા સાથે જોડાયેલા રહે એ સુનિશ્ચિત કરવા જિયોએ #CoronaHaaregaIndiaJeetega પહેલ શરૂ કરી છે.

આ પહેલ ભારતીય નાગરિકોને જોડાયેલા અને કાર્યરત રહેવાની સાથે સલામત રહેવા સક્ષમ બનાવશે, તેમજ રિમોટ વર્કિંગ, રિમોટ લર્નિંગ, રિમોટ એંગેજમેન્ટ અને રિમોટ કેર માટેની સુવિધા આપે છે.

 

વિશ્વનું અગ્રણી કોલાબોરેશન પ્લેટફોર્મ

જિયોએ માઇક્રોસોફ્ટની ટીમો સાથે એની ડિજિટલ ક્ષમતાઓનું જોડાણ કર્યું છે, ઓફિસ 365માં ટીમવર્ક માટે યુનિફાઇડ કોમ્યુનિકેશન અને કોલાબોરેશન કેન્દ્ર ઊભું કર્યું છે, જેથી વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને આરોગ્ય સંસ્થાઓ તેમનું વ્યાવસાયિક કામકાજ જાળવી રાખવા સક્ષમ બને તેમ જ સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાય રહે.

 

  ઘરેથી શિક્ષણ:

  • વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વિડિયો કોલિંગથી ક્લાસરૂમ સેશન યોજવા માટે, ડોક્યુમેન્ટ અને સ્ક્રીન શેરિંગ માટે તથા રિટલ-ટાઇમમાં શંકાનું નિવારણ કરવા માટે ઇન્ફોર્મલ ચેટ ચેનલ્સ માટે સક્ષમ બનાવવા
  • વ્યક્તિઓ અને ટીમ માટે ફ્રી સ્ટોરેજની ઉપલબ્ધતા સાથે કોઈ પણ શાળાનાં ધોરણ માટે તમામ લેશન માટે સંચારનું કેન્દ્ર પ્રદાન કરવા

 

કર્મચારીઓને ટેકો  આપવાની પહેલ

આપણો રિલાયન્સ કર્મચારીઓનો પરિવાર આપણી તાકાત છે તથા કોરોના વાઇરસના પરિવર્તનશીલ પડકારને સતત અને અસરકારક રીતે ઝીલવા આપણા આત્મવિશ્વાસનું સ્રોત છે. આરઆઇએલએ એ સુનિશ્ચિત કરવા તમામ પગલાં લીધા છે કે આ કટોકટી દરમિયાન આપણા કર્મચારીઓ સલામત રહે અને સુરક્ષિત રહે.

આરઆઇએલ કોન્ટ્રાક્ટ અને કામચલાઉ વર્કર્સને ચુકવણી ચાલુ રાખશે, પછી ભલે આ કટોકટીને કારણે કામ બંધ હોય.

દર મહિને રૂ. 30,000થી ઓછી આવક ધરાવતા લોકોને રોકડપ્રવાહ મળતો રહે એટલે મહિનામાં બે વાર પગારની ચુકવણી થશે અને કોઈ પણ પ્રકારનું નાણાકીય ભારણ ઓછું કરવામાં આવશે.

આરઆઇએલએ એના મોટા ભાગના કર્મચારીઓને વર્ક-ફ્રોમ-હોમ પ્લેટફોર્મ પરથી કામ કરવાનું જણાવ્યું છે, ફક્ત મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરતાં ઓછામાં ઓછા કર્મચારીઓ જ ઓફિસ આવે છે, જેનો ઉદ્દેશ જિયો નેટવર્ક પર આશરે 40 કરોડ ગ્રાહકોને સેવા જાળવી રાખવાનો તથા ઇંધણ, અનાજ-કરિયાણા અને રોજિંદા વપરાશની અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓનો સતત પુરવઠો પૂરો પાડવાનો છે.