શરદ પવારે કહ્યું, સિંધિયા સાથે વાત થઈ હોત તો સ્થિતિ ન બગડત

મુંબઈઃ એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે, તેમને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની ક્ષમતાઓ પૂર્ણતઃ વિશ્વાસ છે જેમની 14 મહિના જૂની સરકાર વરિષ્ઠ પાર્ટી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના પ્રત્યે નિષ્ઠા રાખનારા ધારાસભ્યોની બગાવતને ગઈને સરકાર પડી જવાની કગાર પર પહોંચી ગઈ છે. પૂર્વ કોંગ્રેસી પવારે કહ્યું કે, જો સિંધિયા સાથે વાતચીત શરુ કરવામાં આવી હોત તો પાસેના રાજ્યમાં વર્તમાન સ્થિતિ ઉત્પન્ન ન થાય. સિંધિયા ભાજપમાં જોડાઈ ગયા છે. સિંધિયાએ એક દિવસ પહેલા જ કોંગ્રેસ છોડી દીધી હતી. પવારે મીડિયાને કહ્યું કે, લોકો માને છે કે કમલનાથ ચમત્કાર કરી શકે છે. આ આવનારા એક-બે દિવસમાં ખ્યાલ આવી જશે કે આ વાસ્તવમાં થશે. મને મધ્યપ્રદેશ વિધાનસભાની સંરચના વિશે ખ્યાલ નથી.

તેમણે કહ્યું કે, પરંતુ જો રાજા સાહેબની સાથે એક વાત થઈ હોત તો આ સ્થિતિ ન સર્જાઈ હોત. તેઓ વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં પોતાની હાર બાદ ઈચ્છતા હતા કે તેમને નવી જવાબદારી આપવામાં આવે. આ કોંગ્રેસની સંસ્કૃતિ નથી અને આ સરળ પણ નથી.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે એ વાત ખોટી છે કે કોંગ્રેસમાં મજબૂત નેતૃત્વની ઉણપ છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં એક નેતૃત્વ છે અને તેઓ સક્ષમ છે. એનસીપી પ્રમુખ પવારે મહારાષ્ટ્રમાં મધ્ય પ્રદેશ જેવી રાજનૈતિક સ્થિતિ હોવાથી ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકાર સારું કામ કરી રહી છે અને યોગ્ય રસ્તા પર છે. એ વાતમાં કોઈ સંદેહ નથી કે, મહા વિકાસ અઘાડી સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરશે.