કોરોનાના 4.12 લાખથી વધુ નવા કેસ, 3980નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર રેકોર્ડ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 4,12,262 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં સતત 15મા દિવસે કોરોનાના સાડાત્રણ લાખથી વધુ નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3980 લોકોનાં મોત થયાં છે, જે અત્યાર સુધીમાં સૌથી સૌથી વધુ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,10,77,410 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,30,168 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,72,80,844  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,39,113 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 35,66,398 પહોંચી છે. રિકવરી રેટ વધીને 82.03 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.10 ટકા થયો છે.

સરકારે કહ્યું હતું કે કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને બિહારમાં દૈનિક ધોરણે કેસોમાં વધારો થઈ રહ્યો છે. 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિડ સંક્રમણનો દર 15 ટકાથી વધુ છે.

દેશમાં 16.25 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 16,25,13,339 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 19,55,733 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.