દેશની હોસ્પિટલોમાં મોક ડ્રિલઃ કોરાનાના 156 કેસો

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં વધારાની સ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલોની તૈયારીઓની સમીક્ષા માટે મોક ડ્રિલ કરવામાં આવી છે. આરોગ્યપ્રધાન ડો. મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે દેશમાં બધી કોવિડ હોસ્પિટલોમાં આયોજિત થનારી મોક ડ્રિલમાં બધાં રાજ્યોના આરોગ્ય પ્રધાન પોતાના સ્તરે ભાગ લેશે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 156 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 1નાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.06 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,46,77,459 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,30,696 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,43,342 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 7 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3421એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.80 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 49,464 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 91.48 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.15 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.14 ટકા છે.

દેશમાં 220.06 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,06,43,689 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 97,622 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.