વારાણસીની જેમ કાયાપલટ કરવા મથુરા તૈયાર

મથુરાઃ દ્વાપર યુગમાં મથુરાની ભવ્યતા અને દિવ્યતાને જોવામાં આવી હતી, હાલમાં મથુરાના કાયાપલટ માટે રૂ. 32,000 કરોડના પ્રોજેક્ટ કાર્યરત છે, જેમ વારાણસીનો કાયાપલટ કરવામાં આવ્યો, એ જ રીતે મથુરાનો પણ હવે કાયાપલટ થઈ રહ્યો છે.

વારણસીના કાશી વિશ્વનાથ ધામની જેમ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. વ્રજ વિસ્તારમાં રૂ. 32,000 કરોડના પ્રોજ્કટોની સાથે દ્વાપર યુગ (પૌરાણિક કાળમાં ભગવાન શ્રીકૃષ્ણ વ્રજમાં રહેતા હતા)ના વૈભવને લાવવાના ભગીરથ0 કાર્ય કરવામાં આવી રહ્યું છે.ફેબ્રુઆરીમાં વૈશ્વિક રોકાણકાર સમિટમાં ઉત્તર પ્રદેશમાં રૂ. 35 લાખ કરોડના મૂડીરોકાણના પ્રસ્તાવ પ્રાપ્ત થયા હતા અને એ મૂડીરોકાણથી એટલા વ્રજ વિસ્તારમાં રૂ. 50,000 લોકોને રોજગારી મળશે.

બરસાના, ગોકુલ અને ગોવર્ધનનો વૈભવને પરત લાવવો સરકારની જવાબદારી છે. સ્વતંત્રતા પછી વિવિધ સરકારોના કાર્યકાળમાં ભ્રષ્ટ અને દરિદ્ર વ્યવસ્થીએ મથુરાના વિકાસને રૂંધ્યો હતો. 2017માં મથુરા વૃંદાવન મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના પછી બ્રજ તીર્થ વિકાસ પરિષદે મથુરાના વિકાસ માટે એક્શન પ્લાન કાર્યરત કર્યો છે.