સુબ્રમણ્યમ સ્વામીના ટ્વીટથી કેમ ભડક્યા જાવેદ અખ્તર?

નવી દિલ્હીઃ ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટ કર્યું કે જેને જોઈને બોલીવુડ ગીતકાર જાવેદ અખ્તર ગુસ્સે થઈ ગયા. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટમાં કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં 7 મસ્જિદ બંધ થઈ ગઈ છે અને 60 ઈમામ કાઢી દીધા છે. આના પર જાવેદ અખ્તરે સુબ્રમણ્યમ સ્વામીને જવાબ આપ્યો.

તેમણે પોસ્ટને રિપ્લાય કરીને લખ્યું કે, એવી રીતે કે જેમ તમને હાવર્ડમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા? તમે આ ડિઝર્વ કરતા હતા. મને વિશ્વાસ છે કે તમારા જેવાનું કામ હશે, તમે બધા એક જ ડાળના પંખી છો. તમારા બધાની પાંખો નફરતથી ભરેલી છે કે ઉડે છે.

જાવેદ અખ્તરે કહ્યું કે, મને આવા લોકોથી સહેજ પણ મુશ્કેલી નથી. મને મુશ્કેલી નહી થાય કે જો આ પ્રકારના લોકો જે તણાવ અને નફરત ફેલાવે છે, તેમને દેશમાંથી ભગાડવામાં આવે તો. જાવેદ અખ્તરના આ જવાબથી લોકોએ તેમની પણ ટીકા કરી. કેટલાક લોકો તો તેમના પર રીતસર વરસી પડ્યા.