G20 સમિટમાં વિશ્વને ભારતનો ‘વસુધૈવ કુટુંબકમ’નો સંદેશ

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી મજબૂત વૈશ્વિક ગ્રુપ G20ના શિખર સંમેલનનું આયોજન 9-10 સપ્ટેમ્બરે દિલ્હીમાં થવાનું છે. આ સંમેલનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો. બાઇડન, ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રો, જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્જ, જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા, બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક, ચીનના વડા પ્રધાન લી ક્યાંગ, રશિયાના વિદેશપ્રધાન લાવરોવ, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બાનીઝ, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓ જેવા મોટા નેતાઓ સામેલ છે.

આ આયોજનને લઈને મોટા ભાગની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. ભારતની યજમાનીમાં આયોજિત 18મી G20ની આ વર્ષે સામૂહિક થિમ ‘વસુધૈવ કુટુંબકમ’ એટલે કે પૃથ્વી એક પરિવાર છે. આ થિમ મુજબ ભારતના પ્રયાસ છે કે એક વિશ્વ, એક પરિવારને આધારે દેશોની સમસ્યાઓનું સમાધાન આ મંચથી કાઢવાના પ્રયાસ કરવામાં આવે.G20 સભ્ય દેશોની વચ્ચે ખુલ્લા મને વાતચીતને પ્રોત્સાહન આપવાની તરફેણ કરે છે. આ સભ્ય દેશોને કોઈ પણ સમસ્યા કૂટનીતિ દ્વારા ઉકેલવા પ્રોત્સાહન આપે છે. આર્થિક સ્થિતિને સ્પષ્ટ રૂપે મજબૂત કરવા પર ભાર આપે છે. આ મંચ અલગ-અલગ પૃષ્ઠભૂમિના નેતાઓ વૈશ્વિક પ્રાથમિકતા નક્કી કરવાના પ્રયાસ કરે છે.

ભારત દ્વારા આયોજિત થઈ રહેલી G20ની 18મી સભ્ય દેશો વૈશ્વિ અર્થતંત્ર, નાણાકીય, વ્યવસાય, મૂડીરોકાણ, જળવાયુ પરિવર્તન સહિત અનેક જરૂરી મુદ્દાઓ પર વિચારવિમર્શ કરશે. આ સાથે સભ્ય દેશો દિલ્હી સમિટમાં નિર્માણ, ફન્ડિંગ ગેપને ઓછો કરવા, રોજગારીની તકો વધારવા, વિકાસ અને સમાવેશી ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા સાથે અનેક મુદ્દાઓ પર નક્કર વ્યૂહરચનાનું એલાન કરે એવી શક્યતા છે.