ભારતની બ્રિટન સાથે જેવા સાથે તેવાની નીતિ

નવી દિલ્હીઃ દિલ્હીમાં બ્રિટિશ એમ્બેસીની બહાર તહેનાત સુરક્ષાને ઓછી કરી દેવામાં આવી છે. બુધવારે બે રાજાજી માર્ગ સ્થિત બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસના નિવાસસ્થાનની બહારથી બેરિકેડ્સ દૂર કરી દેવામાં આવ્યા છે. બ્રિટિશ હાઇ કમિશન અને બ્રિટિશ કમિશનરની સામે બેરિકેડ્સ- સિમેન્ટ બ્લોક લગાવવામાં આવ્યા હતા, જેને દૂર કરી દેવામાં આવ્યા . આ પગલાને બ્રિટનમાં ભારતીય હાઇ કમિશનરમાં સુરક્ષાના ઘટાડાના રૂપે જોવામાં આવે છે. લંડનમાં ભારતીય કમિશનરના પ્રાંગણની બહાર કોઈ સ્પષ્ટ સુરક્ષા નથી. રવિવારે અહીં ખાલિસ્તાની સમર્થક સૂત્રોચ્ચાર કરવાવાળા લોકોના એક ગ્રુપે ભારતીય દૂતાવાસમાં તોડફોડ કરી હતી.

એને લઈને ભારત સરકારે બ્રિટિશ હાઇ કમિશનરના વરિષ્ઠ અધિકારીને બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે ભારતી હાઈ કમિશનરની બહાર સુરક્ષાની કમીને લઈને બ્રિટિશ અધિકારી પાસે સ્પષ્ટીકરણ માગ્યું હતું અને પૂછ્યું હતું કે આવાં તત્ત્વોને ઓફિસમાં કેવી રીતે પ્રવેશ કર્યો.

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તેમને (ડેપ્યુટી હાઈ કમિશનર ક્રિસ્ટિના સ્કોટ)ને વિયેના કન્વેશનના હેઠળ યુકે સરકારને પાયાની જવાબદારીના સંબંધો યાદ કરાવવામાં આવ્યા.દિલ્હી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ વડા મથકના નિર્દેશ પછી ચાણક્યપુરીમાં બ્રિટિશ હાઇ કમિશન અને બ્રિટિશ કમિશનરના નિવાસસ્થાનની બહાર આશરે 12 બેરિકેડ દૂર કરી દેવામાં આવ્યા છે.

ડિસેમ્બર 2013માં દિલ્હીમાં અમેરિકી દૂતાવાસની સાથે પણ એવું થયું હતું. ભારતીય એમ્બેસેડર દેવયાની ખોબરાગડેને ભારતીય ઘરેલુ કામદારના કથિત શોષણથી સંબંધિત વિસા છેતરપિંડીના આરોપના મામલે ન્યુ યોર્કમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ કર્યા પછી ભારત સરકારે દિલ્હીમાં અમેરિકી એમ્બેસીની બહાર સુરક્ષા ઘટાડવામાં આવી હતી.