ઈસરો: સંચાર ઉપગ્રહ જીસેટ-30નું સફળ લોન્ચિંગ

બેંગ્લુરુ: ઈસરોનો સંચાર ઉપગ્રહ જીસેટ-30 સફળતાપૂર્વક કક્ષામાં સ્થાપિત થઈ ગયું છે. જેને શુક્રવાર મધરાતે 2.35 વાગ્યે ફ્રેન્ચ ગુઆનાના કૌરુ ખાતે આવેલા સ્પેસ સેન્ટર યૂરોપિયન એરિયન 5-વીટી 252થી લોન્ચ કરાયો હતો. લોન્ચિંગની લગભગ 38 મિનિટ 25 સેકન્ડ બાદ સેટેલાઈટ કક્ષામાં સ્થાપિત થઈ ગયું હતું. 3357 કિલો વજન વાળો આ ઉપગ્રહ દેશની કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં પરિવર્તન લાવશે. ઈસરોના જણાવ્યા પ્રમાણે, 3357 કિલોનો વજન વાળો ઉપગ્રહ 15 વર્ષ સુધી કામ કરશે. જીસેટ-30 સંચાર ઉપગ્રહ ઈનસેટ-4એની જગ્યા લેશે, જેને વર્ષે 2005માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

એરિયનસ્પેસના સીઈઓ સ્ટીફન ઈસ્રાઈલે સફળ પ્રક્ષેપણની પુષ્ટી કરતા ટ્વીટ કર્યું કે 2020ની શરૂઆત એક ભવ્ય લોન્ચિગ સાથે થઈ હતી. ઈસરોએ 2020નું મિશન કેલેન્ડર જીસેટ-30નું સફળ પ્રક્ષેપણ સાથે કર્યુ છે. ખાસ વાત એ છે કે જેને એરિયન 5 રોકેટથી લોન્ચ કરાયું, તેનો પહેલી વખત 2019માં ઉપયોગ કર્યો હતો, ત્યારે પણ રોકેટનો ઉપયોગ ભારતીય સેટેલાઈટને લોન્ચ કરવા માટે થયો હતો.

આ ભારતનું 42મું એવું સેટેલાઈટ છે જેને એરિયનસ્પેસના એરિયન રોકેટ દ્વારા લોન્ચ કરાયું છે. એરિયન સ્પેસ એજન્સી (ઈએસએ)ની વાણિજ્યિક શાખા છે. જેની મદદથી અનેક ભારતીય ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે.

જીસેટ-30ના લોન્ચ થયા બાદ દેશની કોમ્યુનિકેશન વ્યવસ્થા વધુ મજબૂત બનશે. જેનાથી ઈન્ટરનેટની સ્પીડ વધશે. સાથે જ દેશમાં જ્યાં નેટવર્ક નથી, ત્યાં પણ હવે સિગ્નલ પકડાશે. આ ઉપરાંચ DTH સેવાઓમાં પણ પરિવર્તન આવશે. આ એક ટેલિકોમ સેટેલાઈટ છે. જે ઈનસેટ સેટેલાઈટની જગ્યાએ કામ કરશે. જેમાં બે સોલર પેનલ અને બેટરી લાગેલી છે, જેનાંથી તેને ઉર્જા મળશે.