કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની સંદેશખાલી મામલે મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે. કલકત્તા હાઇકોર્ટના જસ્ટિસે આદેશ આપ્યો હતો કે સંદેશખાલી મામલામાં શાહજહાં શેખનું નામ ઉમેરવામાં આવે. આ કેસમાં જાહેર નોટિસ આપવામાં આવવી જોઈએ. સંદેશખાલી મામલે કોઈ સ્ટે ઓર્ડર નથી આપ્યો અને શાહજહાં શેખની ધરપકડ થવી જોઈએ.
કોર્ટનું સ્પષ્ટીકરણ ત્યારે આવ્યું, જ્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનરજીએ રવિવારે રાત્રે દાવો કર્યો હતો કે બંગાળ સરકાર શાહજહાંની ધરપકડ કરવામાં અસમર્થ છે, કેમ કે કોર્ટે પોલીસના હાથ બાંધી રાખ્યા છે. તેમણે સંદેશખાલીની તપાસ પર કોર્ટ પર જ તપાસમાં વિલંબ માટે આરોપ લગાવી દીધો હતો.
કોલકાતા હાઇકોર્ટે એ સ્પષ્ટ કર્યું હતું કે સંદેશખાલીમાં અત્યાચાર કરવાના આરોપી TMC નેતા શાહજહાં શેખની ધરપકડ પર કોઈ પ્રતિબંધ નથી મૂક્યો. હાઇકોર્ટે આરોપી શાહજહાં શેખ, ED, CBI અને રાજ્યના ગૃહ સચિવને આ મામલે પક્ષકાર તરીકે સામેલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
TMC નેતા શંકર સરદારના ઘરમાં કેટલીક મહિલાઓએ તોડફોડ કરી હતી. તેમનું ઘર સંદેશખાલી સ્થિત પોલપારા ગામમાં છે. તેમની પત્નીએ આરોપ લગાવ્યો હતો કે કેટલીક લોકલ મહિલાઓએ તેમના ઘરમાં તોડફોડ કરી હતી. એ સમયે પોલીસ ઘટના સ્થળે હાજર હતી.બશીરહાટના SP એચએમ રહેમાને કહ્યું હતું કે ત્યાં કેટલીક મહિલાઓ શંકર સરદારના ઘરમાં ઘૂસી હતી. હું સંદેશખાલીના લોકોને કહી રહ્યો છું કે તેઓ કાયદો હાથમાં ના લે, નહીંતો તેમની વિરુદ્દ પગલાં લેવામાં આવશ.શાહજહાં શેખ વિરુદ્ધ ફરિયાદો મળી, અમે શેખ શાહજહાંની વિરુદ્ધ FIR નોંધી છે.
