1 લી એપ્રિલથી શરૂ થશે વસતી ગણતરી

નવી દિલ્હીઃ સીએએ, એનઆરસી અને એનપીઆરને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે એક એપ્રિલથી વસતી ગણતરીનું પ્રથમ ચરણ શરુ થશે. આ વખતે વસતી ગણતરીમાં હાઉસલિસ્ટિંગ પણ કરવામાં આવશે. એટલે ઘરના સભ્યોની સંખ્યાની સાથે દેશભરમાં ઉપસ્થિત ઘરોનું જે બાંધકામ છે તેનું વર્ણન પણ નોંધવામાં આવશે. આને લઈને રજીસ્ટ્રાર જનરલના કાર્યાલયે સૂચના જાહેર કરી છે. સૂચના અનુસાર, વસતી ગણતરી અધિનિયમ 1990 ના નિયમ 6 એ સાથે વસતી ગણતરી અધિનિયમ 1948ની કલમ 3એ અને કલમ 17 એ દ્વારા આપવામાં આવેલા પાવરના અભ્યાસમાં કેન્દ્ર સરકારે જાહેરત કરી છે કે વસતી ગણતરી 2021 માં હાઉસ લિસ્ટિંગ પણ કરવામાં આવશે. દેશભરમાં એક એપ્રિલ 2020 થી 30 સપ્ટેમ્બર 2020 વચ્ચે આ પ્રક્રિયા કરવામાં આવશે.