મુંબઈઃ એક નિવેદન કરીને પોલીસ અને જનતા વચ્ચે વાદવિવાદ પેદા કરવા બદલ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) સામે મહારાષ્ટ્રના નાશિક શહેરમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સંજય રાઉત શિવસેના (યૂબીટી)ના રાજ્યસભાના સદસ્ય છે. નાશિક પોલીસે એમની સામે આઈપીસીની કલમ 5015(1) (બી) અંતર્ગત એફઆઈઆર ફરિયાદ નોંધી છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે સંજય રાઉતે એમ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં હાલની સરકાર ગેરકાયદેસર છે અને એના આદેશોનું પાલન કરવું ન જોઈએ.
