ભારત 20થી વધુ દેશોમાં હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન નિકાસ કરે છે

નવી દિલ્હીઃ કોવિડ-19 રોગચાળા સામે લડવા માટે ભારત 20થી વધુ દેશોમાં હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન, પેરાસિટામોલ તેમ જ એઝિથ્રોમાઇસિન જેવી આવશ્યક દવાઓનો નિકાસ કરી રહ્યું છે. ભારત દ્વારા પશ્ચિમ બાજુ અમેરિકા અને પૂર્વમાં બંગલાદેશ સુધી આ દવાઓ 20થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે.

જોકે આ દવાઓ ભારત માનવતાવાદી અને વેપારી ધોરણે નિકાસ કરી રહ્યું છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

ભારતની દવાની અનેક દેશોમાં નિકાસ

ભારત આ દવાઓ યુએસ, બ્રાઝિલ, સ્પેન, જર્મની, બહેરીન, નેપાળ, ભૂતાન, અફઘાનિસ્તાન, માલદીવ, બંગલાદેશ, મોરિશિયસ, ડોમિનિકન રિપબ્લિક, ઇઝરાયલ, કેનેડા, યુકે, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સહિત અન્ય દેશોમાં કરી હતી.

મોદી સરકારની સાર્ક દેશોને આ દવા દાન કરવાની યોજના

મોદી સરકાર કોરોના વાઇરસને લીધે થયેલી વિષમ પરિસ્થિતિઓમાં સાર્ક દેશો, આફ્રિકા અને લેટિન અમેરિકાના કેટલાક દેશોમાં દાન કરવાની યોજના બનાવી રહી છે. જોકે આ સાથે મોદી સરકાર અમોરિકા સહિત યુરોપના કેટલાક દેશોને આ દવાનું વેચાણ પણ કરશે.

જ્યારે મોદી સરકાર આ દવાઓને સાર્ક, આફ્રિકા અને લેટિન અમેરિકાના કેટલાક દેશોમાં દાન આપવાની યોજના બનાવી રહી છે.