પર્યાવરણની સમસ્યા ગુજરાતના અર્થતંત્ર, ઇકો સિસ્ટમ માટે જોખમી

નવી દિલ્હીઃ વિશ્વનું ધ્યાન જેમ-જેમ 30 નવેમ્બરથી દુબઈમાં શરૂ થનારી COP-28 પર છે, ત્યારે ગુજરાત પર જળવાયુ પરિવર્તનની પ્રતિકૂળ અસર સ્પષ્ટ થઈ રહી છે. રાજ્ય હવે એક પર્યાવરણીય સમસ્યાનો સામનો કરી રહ્યું છે, જે અર્થતંત્ર અને ઇકો સિસ્ટમ-બંનેને જોખમમાં મૂકી રહ્યું છે.

જળવાયુ પરિવર્તને આ ગરમીમાં વરસાદના માધ્યમથી પોતાની હાજરી વર્તાવી છે, જે 42 ડિગ્રી આકરી ગરમીમાં બિલકુલ વિપરીત છે. શહેરવાસીઓ બિનમોસમ વરસાદથી હેરાન હતા. રાજ્યમાં ખેડૂતો અને ફળ ઉત્પાદક આકરા જળવાયુ પરિવર્તનથી ઝઝૂમી રહ્યા છે. તેમને આજીવિકાનું ભારે નુકસાન ભોગવવું પડ્યું છે. રાજ્યમાં 42,210 હેક્ટર કૃષિ જમીનના 33 ટકાથી વધુ નુકસાન થયું છે. જે હજારો કરોડ રૂપિયાના સંભવિત નુકસાનમાં ફેરવાઈ જાય છે. રાજ્ય સરકારે ચોથી મેએ રાહત પેકેજની ઘોષણા કરી હતી, જેમાં ભારે કૃષિ જમીન માટે પ્રતિ હેક્ટર રૂ. 23,000ની જાહેરાત કરવામાં આવી હતી. સરકારે આ પગલું રાહત ફંડમાંથી જાહેર કર્યું હતું, જે અનિયમિત હવામાન પેટર્નને કારણે અનિશ્ચિત ભવિષ્યનો સામનો કરી રહેલા ખેડૂતોને સહાય આપે છે, એમ સર્વે કહે છે.

રાજ્યમાં માર્ચમાં બિનમોસમ વરસાદ દરમ્યાન 30 જિલ્લાના 198 તાલુકાઓમાં 1થી 47 મિમી વરસાદ નોંધાયો હતો. જેથી 32માંથી 15 જિલ્લાઓમાં કૃષિ ને બાગાયત પાકોને વ્યાપક નુકસાન થયું હતું. હાલમાં વધુ એક વાર અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાજ્યમાં ભેજનું પ્રમાણ વધશે. કમોસમી વરસાદ બાદ ધીરે-ધીરે ઠંડીનો પારો ગગડવાની આગાહી પણ કરવામાં આવી છે.