RSS અને ભાજપ વચ્ચે મતભેદ કે મનભેદ?

નવી દિલ્હીઃ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વચ્ચે છેલ્લા ઘણા સમયથી બધું સમુંસૂતરું નથી ચાલી રહ્યું. મતભેદ તો પહેલાં પણ થઈ ચૂક્યા છે અને કેટલાય મુદ્દાઓ પર અલગ વિચારધારા દેખાઈ રહી છે, પરંતુ ક્યારેય મનભેદ નહોતા જોવા મળ્યા. જોકે આ વખતે સંઘના કેટલાક મોટા નેતા ભાજપ અને તેના હાઇ કમાન્ડને પડકારવાનું કામ ચાલી રહ્યું છે. બંને સંસ્થા એકમેકને અરીસો બતાવવાનું કામ કરી રહી છે.

RSSએ ભાજપ સરકારના અહંકારને મુદ્દે વક્તવ્ય આપ્યું હતું. સરસંઘચાલક મોહન ભાગવતે કાર્યકર્તાઓની તાલીમ પ્રસંગે આપેલું ભાષણ, સંઘની કાર્યકારી સમિતિના સભ્ય અને મુખ્ય સંરક્ષક ઇન્દ્રેશ કુમાર દ્વારા અહંકારનો વિશેષ ઉલ્લેખ –એવી ચાર ઘટનાઓ હાલમાં બની હતી.

કુમારે કહ્યું હતું કે ભગવાન રામે ભાજપને 240 સીટો પર સીમિત કરીને એના અહંકારને દંડ આપ્યો હતો. રામરાજ્યના ન્યાયે એ પણ સુનિશ્ચિત કર્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનને 237 સીટ પર સીમિત રહ્યું હતું, કેમ કે એ રામવિરોધી છે, એમ તેમણે કહ્યું હતું.RSSના એક બુદ્ધિજીવી રતન શારદા એ ટીકા કરતાં કહ્યું હતું કે RSSની ટીકા કરવાવાળા લોકોને પાર્ટીમાં ભેળવીને પક્ષની વૈચારિક પ્રતિબદ્ધતાને નુકસાન પહોંચાડ્યું હતું અને કિંમત ચૂકવી હતી. આ ઉપરાંત RSSના મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં મહારાષ્ટ્રમાં ખરા દેખાવ માટે RSSની ટીકા કરવાવાળા અજિત પવારની NCP સહિત લોકોને પાર્ટીમાં સામેલ કરવા માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ચૂંટણીમાં મોદીના ટીકાકારોને કહ્યું હતું કે મોદીને હરાવી શકાય છે. જોકે આગામી પાંચ વર્ષો સુધી આકરી મહેનત કરવાની આવશ્યકતા છે. જોકે ભાજપને એમ લાગે છે કે પક્ષ એકલા હાથે કામ કરી શકે છે અને એને RSSના ટેકાની જરૂર નથી, પણ કદાચ એ જ કારણે બંને પક્ષોમાં ઉદાસીનતા પેદા થઈ હતી.