કોરોનાના 78,524 નવા કેસ, 971નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 68 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 78,524 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 971 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 68,35,656 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,05,526 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 58,27,704 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 83,011 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,02,425 પહોંચી છે. રિકવરી રેટ વધીને 85.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.54 ટકા થયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.