પ્રયાગરાજ: નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીને લઈને દિલ્હીના શાહીન બાગની જેમ જ યુપીમાં પણ અનેક સ્થળો પર પ્રદર્શન ચાલી રહ્યા છે. તો બીજી તરફ પ્રયાગરાજમાં કોંગ્રેસના કાર્યકર્તા હસીબ અહમદ કબ્રસ્તાન પહોંચ્યા અને ત્યાં તેમના પૂર્વજોની કબર નજીક ઉભા રહીને અજીબોગરીબ રીતે પ્રદર્શન કર્યું. જેનો એક વિડિયો પણ સામે આવ્યો છે જેમાં તે નાટકીય અંદાજમાં ભાવુક થતાં જોવા મળી રહ્યા છે.
જ્યારે તેમના પુછવામાં આવ્યું કે, કબ્રસ્તાનમાં શું કરી રહ્યા છો તો હસીબ અહમદે તેમનો ડર વ્યક્ત કરતા કહ્યું કે, જે રીતે સીએએ-એનઆરસીને લઈને વિવાદ ચાલી રહ્યો છે એ જોતા ડર લાગે છે કે, કયાંક સરકાર મને ડિટેન્શન સેન્ટર ન મોકલી દે. તેમણે કહ્યું કે, તેમની પાસે દસ્તાવેજો પણ નથી.
હસીબ અહમદે કહ્યું કે, એનઆરસી અને સીએએ ને લઈને દેશમાં વિભાજનની રાજનીતિ ચાલી રહી છે. અમારી પાસે કોઈ પુરાવા નથી. જે રીતે મોદી અને શાહ સતત હુમલો કરી રહ્યા છે કે, જો તમે સીએએ અને એનઆરસીના દાયરામાં આવો છો તો તમારે તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે.
હસીબે વધુમાં કહ્યું કે, અમે આમારા પૂર્વજોની કબર પર એટલા માટે આવ્યા છીએ કારણ કે આના સિવાય અમારી પાસે દેખાડવા માટે કંઈ બચ્યું નથી. અમે અમાર પૂર્વજોને કહેવા આવ્યા છીએ કે, કબરમાંથી ઉભા થઈને અમે ભારતીય છીએ એવી જુબાની આપો. હસીબે આગાળ કહ્યું કે, જો અમને ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવે તો અમારા પૂર્વજોને પણ કબરમાંથી બહાર કાઢી તેમની કબરોને સેન્ટરમાં રાખવામાં આવે.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)