CBIએ BRS નેતા કે. કવિતાની જેલમાંથી ધરપકડ કરી

નવી દિલ્હીઃ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)નાં નેતા કે. કવિતાની દિલ્હી એક્સાઇઝ કૌભાંડ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ધરપકડ કરી છે. કવિતા હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. એજન્સીએ શનિવારે જેલની અંદર તેમની પૂછપરછ કરી હતી. કવિતા ગુરુવારે તિહાડ જેલમાં રહેશે અને એ પછી સવારે તેમને કોર્ટમાં હાજર કરવામાં આવશે. કોર્ટમાં CBI તેમની હિરાસતની માગ કરશે.

આ પહેલાં બુધવારે CBIએ કે. કવિતાથી તિહાડમાં પૂછપરછ કરી હતી. અહીં તેઓ ED દ્વારા ધરપકડ કરવામાં આવ્યા પછી જેલમાં બંધ છે. દિલ્હી કોર્ટે પાંચ એપ્રિલે CBIને કવિતાથી જેલમાં પૂછપરછ કરવા માટે મંજૂરી માગી હતી. કોર્ટમાં CBI તેમની હિરાસતની માગ કરશે. જોકે તેમણે આ આદેશને પડકાર્યો હતો.

તેલંગાણા MLC અને BRS નેતા કે. ચંદ્રશેખર રાવ (KCR)ની પુત્રીની EDએ દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલે 15 માર્ચે હૈદરાબાદમાં તેમના બંજારા હિલ્સ નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. કવિતા પર સાઉથ ગ્રુપના એક મુખ્ય સભ્ય હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેણે દિલ્હીમાં લિકર લાઇસન્સના બદલામાં દિલ્હીમાં આપને રૂ. 100 કરોડની લાંચ આપી હતી. સહ આરોપી બુચ્ચી બાબુના ફોનથી જપ્ત વોટ્સએપ ચેટ અને એક જમીનથી જોડાયેલા દસ્તાવેજો સંબંધમાં CBIએ BRS નેતાથી પૂછપરછ કરી હતી.