ભોપાલ ગેસ ટ્રેજેડી કેસમાં સુપ્રીમ કોર્ટે વળતરની અરજી ફગાવી

નવી દિલ્હીઃ 1984ની ભોપાલ ગેસ ત્રાસદીને દેશની સૌથી મોટી ભીષણ ઓદ્યૌગિક દુર્ઘટના માનવામાં આવે છે. એક કેમિકલ ફેક્ટરીથી ઝેરીલી ગેસના લીકેજથી હજારો લોકો હંમેશા માટે મોતની નિદ્રામાં સૂઈ ગયા હતા. જોકે સૌથી દુખદ વાત છે કએ આ દુર્ઘટના માટે જવાબદાર આરોપીને ક્યારેય સજા નહોતી થઈ. જોકે ભોપાલ ગેસ ત્રાસદીના પીડિતોને સુપ્રીમ કોર્ટે મોટો ફટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે પીડિતોને રૂ. 7400 કરોડના વધારાના વળતરની માગવાળી કેન્દ્રની ક્યુરેટિવ અરજીને ફગાવી દીધી છે. ભોપાલમાં 2 ડિસેમ્બર, 1984ની રાત્રે આ અકસ્માતમાં 16,000થી વધારે લોકોનાં મોત થયાં હતાં. એ દુર્ઘટનાથી યુનિયન કાર્બાઇડ કોર્પોરેશનમાં 470 મિલિયન અમેરિકી ડોલરનું વળતર આપવાનું હતું. પીડિતોએ વધારાનું વળતર આપવા માટે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. પીડિતો તરફથી કેન્દ્રએ આ મામલે ક્યુરેટિવ પિટિશન દાખલ કરી હતી.

કેન્દ્રએ યુનિયન કાર્બાઇડ કોર્પોરેશનની અનુગામી કંપનીઓ પાસેથી રૂ. 7844 કરોડની માગ કરી હતી. જોકે જસ્ટિસ સંજય કિશન કૌલની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે મામલાની ફરીથી સુનાવણી પીડિતોના પક્ષમાં પણ નહીં હોય. કોર્ટે અવલોકન કર્યું હતું કે કે આ ફક્ત પેન્ડોરા બોક્સ ખોલીને UCCની તરફેણમાં કામ કરશે અને દાવેદારોને પણ લાભ થશે નહીં.

કોર્ટે પણ આ મામલે બેદરકારી માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી. કોર્ટનું કહેવું છે કે વળતરની ખામીને પૂરી કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની હતી. વીમા પોલિસી લેવામાં નિષ્ફળતા એ કેન્દ્રની ઘોર બેદરકારી છે.

12 જાન્યુઆરીએ યુનિયન કાર્બાઇડે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે 1989 પછી પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર અને કંપની વચ્ચે સમજૂતી થઈ હતી. તે મુજબ વળતર આપવામાં આવ્યું હતું. કોર્ટે કેન્દ્ર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ આર વેંકટરામાણીને કહ્યું હતું કે કોઈ બીજાના ખિસ્સામાં હાથ નાખવો અને પૈસા ઉપાડવા ખૂબ જ સરળ છે. તમારા ખિસ્સામાં મૂકો અને પૈસા આપો અને પછી જુઓ કે તમે તેને તેમના (યુસીસી) ખિસ્સામાં મૂકી શકો છો કે નહીં.