કોરોનાના 96,982ના નવા કેસ, 446નાં મોત 

 નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 96,982 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 446 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,26,86,049 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,65,547 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,17,32,279  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 52,143 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,88,223 પહોંચી છે. રિકવરી રેટ વધીને 92.48 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.30 ટકા થયો છે.

દેશમાં 8.31 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 8,31,10,926 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 43,00,966 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.