કોરોનાના 92,596 વધુ નવા કેસ, 2219નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરોના સંક્રમણના એક લાખથી ઓછા નવા કેસો નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 92,596 નવા કેસ સામે આવ્યા છે. આ પહેલાં ત્રીજી એપ્રિલ, 2021એ 89,129 કેસો નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 2219 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,90,89,069 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,53,528 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,75,04,126  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1,62,664 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 12,31,415એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.55 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.22 ટકા થયો છે.

ICMRના જણાવ્યાનુસાર ગઈ કાલે દેશમાં 19,85,967 કરોડથી વધુ લોકોની તપાસ કરવામાં આવી ચૂકી છે.

દેશમાં 23.90 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 23,90,58,360 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 27,76,096 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.