કોરોનાના 91,702 વધુ નવા કેસ, 3403નાં મોત

 નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 91,702 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3403 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,92,74,823 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,63,079 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,77,90,073  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1,34,580 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 11,21,671એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.93 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.24 ટકા થયો છે.

ICMRના જણાવ્યાનુસાર ગઈ કાલે દેશમાં 20,44,131 કરોડથી વધુ લોકોની તપાસ કરવામાં આવી ચૂકી છે. દેશમાં કોરોના સંક્રમિત થવાનો હાલનો દર 4.48 ટકા છે.

દેશમાં 24.60 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 24,60,85,649 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 32,74,672 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.