કોરોનાના 70,421 વધુ નવા કેસ, 3921નાં મોત

 નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં ઘટાડાનો સિલસિલો જારી છે, પણ ચિંતાની વાત એ છે કે મૃતકોની સંખ્યામાં ઘટાડો નથી થયો. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 70,421 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3921 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,95,10,410 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,74,305 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,81,62,947 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1,19,501 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,73,158એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.07 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.25 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં 14,92,152 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 4.71 ટકા છે. સંક્રમણનો દર સતત સાતમાં દિવસે પાંચ ટકાની નીચે છે.

દેશમાં 24.48 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 25,48,49,301 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 14,99,771 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.