કોરોનાના 60,753 વધુ નવા કેસ, 1647નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 60,753 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1647 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,98,23,546 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,85,137 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,86,78,390 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 97,743 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,60,019એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.16 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.29 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં 19,02,009 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 2.55 ટકા છે.

દેશમાં 27.23 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 27,23,88,783 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 33,00,085 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.