કોરોનાના 6317 નવા કેસ, 318નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોન ઝડપથી પ્રસરી રહ્યો છે. દેશમાં કુલ ઓમિક્રોનના કેસોએ 213ની સંખ્યા પાર કરી છે. દિલ્હીમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 57એ પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 6317 નવા કેસ સામે આવ્યા છે. જે ગઈ કાલની તુલનાએ 18.6 ટકા વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 318 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,47,58,481 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,78,325 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,42,01,966 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 6906 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 78,190એ પહોંચી છે, જે 581 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.40 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.38 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 12,29,512 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 60.47 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 138.95 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,38,95,90,670 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 57,05,039 લોકોને રસી આપવામાં આવી હતી.

સરકારે પહેલી મેથી 18 વર્ષથી વધુ વયના બધા લોકોને રસીકરણની મંજૂરી આપીને રસીકરણન ઝુંબેશ વધારી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.