કોરોનાના 50,407 નવા કેસ, 804નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50,407 નવા કેસ નોંધાયા છે. જોકે એ પહેલાં 58,077 દૈનિક કેસો નોંધાયા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં 804 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,25,36,137 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,07,981 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,14,68,120 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1,36,962 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 6,10,443એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.37 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 14,50,532 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 74.91 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 3.48 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 5.07 ટકા છે.

 દેશમાં 172.29 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,72,29,47,688 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 46,82,662 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.