કોરોનાના 42,766 વધુ નવા કેસ, 1205નાં મોત

 નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 42,766 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1205 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,07,95,716 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,07,145 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,99,33,538 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 45,254 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,55,033એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.20 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.32 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ નવ જુલાઈ સુધી દેશમાં કુલ 42.90 કરોડ લોકોના સેમ્પલની તપાસ થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 19.90 લાખ લોકોનાં સેમ્પલની તપાસ કરવામાં આવી છે.

દેશમાં 37.21 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 37,21,96,268 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 30,55,802 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.