કોરોનાના 42,625 વધુ નવા કેસ, 562નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં ફરી એક વાર વધારો થયો છે આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 42,625 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 562 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,17,69,132 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,25,757 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,09,33,022  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 36,668 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,10,353એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.37 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 18,47,518 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 47.31 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 48.52 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 48,52,86,570 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 62,53,741 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.