કોરોનાના 42,618 નવા કેસ, 330નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોનાના નવા 40,000ની ઉપર નોંધાઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 42,618 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 330 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,29,45,907 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,40,225 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,21,00,001 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 36,385 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,05,681એ પહોંચી છે, રિકવરી રેટ વધીને 97.43 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,04,687 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 51.87 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 67.72 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 67,72,11,205 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 58,85,687 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.