કોરોનાના 38,948 નવા કેસ, 219નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં સોમવારે ઘટાડો નોંધાયો હતો. રવિવારની તુલનામાં કોરોનાના કેસોમાં 8.9 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ પહેલાં રવિવારે 42,766 નવા કેસો નોંધાયા હતા. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 38,948 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 219 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,30,27,621 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,40,752 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,21,81,995 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 43,903 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,04,874એ પહોંચી છે, રિકવરી રેટ વધીને 97.44 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 14,10,649 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 52.05 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 68.75 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 68,75,41,762 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 25,23,089 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.